કિડાણા નજીક બાવળ વચ્ચેથી યુવાનનો મૃતદેહ મળ્યો


ગાંધીધામના કિડાણા ગામમાં બાવળોની ઝાડીમાંથી યુવાનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યું હતું. મૃતકનું પીએમ જામનગર કરાયું જેમાં અકસ્માતના કારણે ઈજા થઈ હોવાનું તારણ કઢવામાં આવી રહ્યું છે,પરંતુ સ્થળ પરની પરિસ્થિતિઓ શંકાસ્પદ છે.
ગાંધીધામના બી ડિવિઝન પોલીસ મથકમાં થયેલી અકસ્માત મોતની નોંધ અનુસાર કિડાણાની રામ સોસાયટીમાં રહેતા 22 વર્ષીય નરેંદ્રભાઈ નેમાભાઈ ચૌહાણને તેના મામા મગનભાઈ આદિપુરની ડિવાઈન લાઈફ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા, તેમને પુછતા તેમણે કહ્યું કે રામ સોસાયટીના ઉતર દિશામાં 300 થી 400 મિટર બાવળની જાડી પાસે રસ્તા પાસેથી મૃતક મળ્યો હતો, જેની નાક અને કાનમાંથી લોહી નિકળી રહ્યું હતું. પોલીસના સુત્રોએ જણાવ્યું કે સ્થાનિક હોસ્પિટલોમાં તેનું પીએમ કરવાની મનાઈ કરતાં જામનગર પીએમ માટે લઈ જવામાં આવ્યો હતો.
જ્યાં પીએમમાં અકસ્માતના કારણે ઈજા થતાં મોત નિપજ્યું હોવાનું લખી દેવામાં આવ્યું છે પરંતુ ઘટનાસ્થળેથી કોઇ વાહન પણ નથી મળ્યું અને ત્યાંથી કોઇ ભારે વાહન પસાર થયાનું પણ પ્રતિપાદીત પ્રાથમિક સ્તરે નથી થતુ. તેમજ ગુપ્ત ભાગમાં પણ ઈજાઓ હોવાનું સામે આવી રહ્યું છે. ઘરથી નજીકમાં જ મળેલા મૃતદેહના બાનાવમાં યુવાન પુત્રને ગુમાવનાર પરિવાર આઘાતમાં છે, તો પોલીસે બનાવની નોંધ લઈને તપાસ હાથ ધરી છે.