અમદાવાદના દાણીલીમડામાં ટોરેન્ટ પાવરના કર્મચારીઓ પર હૂમલો કરનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરાઈ


શહેરના દાણીલીમડા વિસ્તારમાં વીજ ચોરી પકડાયા બાદ તેને ટોરેન્ટ દ્વારા દંડ ફટકારાયો હતો. પરંત તેઓ દંડ ભરતા ન હતા જેથી આજે ટોરેન્ટના કર્મચારીઓ વીચ ચોરી વાળુ મિટરનું કનેક્શન કાપવા ગયા ત્યારે તેમની સામે મકાન માલીકે માથાકુટ કરી મારા મારી કર્યા પછી જાનથી મારી નાંખવાની ધમકી આપી. આ અંગે ટોરેન્ટના કર્મચારીએ ફરિયાદ દાખલ કરાવતા દાણીલીમડા પોલસે તપાસ હાથ ધરી છે.
શહેરના નારણપુરા વિસ્તારમાં અકીબ ફારૂકભાઇ નાગાણી ટોરેન્ટ પાવરની ઓફિસમાં વીઝીલન્સ વિભાગમાં આસિ. મેનેજર તરીકે ફરજ બજાવે છે. આજે તેઓ જરૂરી બંદોબસ્ત સાથે દાણીલીમડામાં ગેરકાયદે વીજ જોડાણ મામલે રેડમાં નિકળ્યા હતા. તેમણે જરૂરી પોલીસ બંદોબસ્ત પણ મેળવી લીધો હતો. તેઓ શાહઆલમ સોસાયટીના મકાન નં 16 મધ્યે જઇ મીટર ચેક કરરાયું હતું. જેમાં પૂર્વે પણ વીજ ચોરીનો કેસ થયો હતો. પરંતુ વીજ ચોરી અંગેનો દંડ ભર્યો હતો નહિ. જેથી તેઓએ મીટર કાપવાની કામગરી શરૂ કરી હતી.
આ દરમિયાન ત્યાં અફરૂલ્લાખાન અસિનખા પઠાણે ટોરેન્ટ પાવરના કર્મચારીઓ સાથે ઘક્કામુક્કી કરી તેમજ તે માર મારી પણ કરવા લાગ્યો હતો. આ વેળાએ ઝફરૂલ્લાખાનની પત્ની તથા બે દિકરાઓ પણ આવી ગયા અને તેમણે પણ પિતાને બચાવવા પ્રયત્નો શરુ કર્યા હતા. આ વેળાએ ઝફરૂલ્લખાને જણાવ્યું હતું કે, તમે અત્યારે જ વીજ જોડાણ કાપ્યા વિના અહીંયાથી જતા રહો નહીં તો મારી નાંખીશું. આટલું કહ્યા પછી તેઓ બુમાબુમ કરવા લાગ્યા. જેના લીધે પોલીસ પણ ત્યાં આવી પહોંચી હતી. ત્યાર પછી ઝફરૂલ્લાને પકડી લઇ દાણલીમડા પોલીસ મથક લઇ જવાયો હતો. જ્યાં અકીબે ઝફરૂલ્લાખાન પઠાણ સામે ફરિયાદ દાખલ કરાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.