ધ્રોલના ખારવા ગામમાં આવેલી ગણેશ વિદ્યા સંકુલની વિદ્યાર્થિનીએ ગળેફાંસો જીવન દોર ટૂંકાવી

copy image

જામનગરના ધ્રોલ તાલુકામાં આવેલી શ્રી ગણેશ વિદ્યા સંકુલમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીએ તેના હોસ્ટેલના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી. શિક્ષકે આપેલું લેશન કર્યું ન હોવાથી ઠપકો આપતા વિદ્યાર્થિનીએ આ છેલ્લું પગલું ભર્યું હોવાનું શાળાના ટ્રસ્ટી દ્વારા જણાવવામાં આવ્યું હતું.

ધ્રોલ તાલુકાના ખારવા ગામ નજીક આવેલી ગણેશ વિદ્યા સંકુલમાં અભ્યાસ કરતી એક 14 વર્ષીય વિદ્યાર્થિનીએ આજે તેની હોસ્ટેલના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધું હતું. વિદ્યાર્થિનીને આપવામાં આવેલું લેશન ન કર્યું હોય શિક્ષકે ઠપકો આપતા ગળેફાંસો ખાઈ જિંવન દોર ટૂંકાવી હોવાનું સામે આવ્યું છે. બનાવની જાણ થતા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને લાશને પીએમ અર્થે જીજી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. સમગ્ર બાબતે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.