જામનગરના રીંજપર ગામે રહેતા યુવાને કરી આત્મહત્યા


લાલપુર તાલુકાના રીંજપર ગામમાં રહેતા વજસીભાઈ ઉકાભાઇ બેલા નામના 35 વર્ષીય યુવાને ગળાફાંસો જીવન ટૂંકાવ્યું છે. દારૂ પીવાની ટેવ ધરાવતા આ યુવાકનું સગપણ ન થતા ગુમસૂમ રહેતો હતો. જેને કારણે આત્મહત્યા કર્યો હોવાનું પોલીસને તપાસમાં જાણવા મળ્યું છે.
આ ઘટનાની જાણ મૃતકના ભાઈ ખીમાભાઈએ લાલપુર પોલીસને કરતાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. મૃતક દારૂ પિવાની ટેવ ધરાવતો અને તેની સગાઈ ન થતી હોવાથી તે સતત ગુમસુમ રહેતો હતો. આ બાબતને કારણે યુવાને આત્ંહત્યા કરી લીધો હોવાનું તેના ભાઈએ પોલીસમાં જાહેર કર્યું છે. આ ઘટનાના પગલે ગામમાં શોકની લાગણી ફેલાઈ છે.