ગોંડલના મોવિયા શ્રીનાથગઢ વચ્ચે જ્યુપીટર અને બોલોરોનું અકસ્માત: વાસાવડની પરિણીતાનું મોત

ગોંડલ તાલુકાના મોવિયા શ્રીનાથગઢ વચ્ચે જ્યુપીટર પર જઈ રહેલ મહીલાને બોલેરો ચાલકે ટક્કરે લેતા સર્જાયેલ અકસ્માતમાં ગંભીર ઇજાને લીધે મૃત્યુ નિપજ્યું હતુ. પ્રાપ્ત વિગતો અનુસાર ગોંડલ તાલુકાના શ્રીનાથગઢ અને મોવિયા વચ્ચે જયુપીટર અને બોલેરો (યુટીલિટી) વચ્ચે અકસ્માત સર્જાયો. જેમાં જયુપીટર લઈને વાસાવડ રહેતા પ્રભાબેન ઉર્ફ શિલ્પાબેન શૈલેષભાઈ ભડલીયા ઉ.૩૦ જેતપુર કામ માટે ગયા હતા જે ગોંડલ થઈ વાસાવડ પાછા ફરી રહ્યા હતા ત્યારે મોવિયા શ્રીનાથગઢ વચ્ચે બોલેરોના ચાલકે હડફેટે લેતા પ્રભાબેન જ્યુપીટર સહીત ફંગોળાઈ ગયા હતા. અકસ્માતમાં ગંભીર ઇજા થવાના કારણે તેનુ મૃત્યુ નિપજ્યું હતુ. અકસ્માતના સમગ્ર ઘટના અંગે તાલુકા પોલીસના જીતેન્દ્રસિંહ વાળા અને શિવભદ્રસિંહ વાઘેલાએ તપાસ હાથ ધરી છે.