આમ આદમી પાર્ટી નો વાગડમા વધતો વ્યાપ પ્રાવથર વિસ્તારના વિવિધ સમાજના લોકો મોટી સંખ્યામાં આપ મા જોડાયા


વાગડમાં આમ આદમી પાર્ટીને મળતો આવકાર જોઈને એ નક્કી છે કે હવે વાગડના લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે – અશોક રાઠોડ
આજ રોજ આમ આદમી પાર્ટી ના અશોકભાઈ રાઠોડ ની આગેવાનીમાં રાપર તાલુકાના બાલાસર ગામે જન સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રાવથર વિસ્તારના વિવિધ સમાજના લોકો બહોળી ઉપસ્થિત રહી વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા આ પ્રસંગે આમ આદમી પાર્ટી ના લીડર અશોકભાઈ રાઠોડે જણાવ્યું હતું કે વાગડના લોકો હવે ભાજપ કોંગ્રેસ બન્નેથી ત્રસ્ત થઈને પરિવર્તન ઈચ્છી રહી છે જેથી આમ આદમી પાર્ટી નો વ્યાપ દિવસે ને દિવસે વધી રહ્યો છે છેલ્લા કેટલાય દાયકાઓથી ભાજપ અને કોંગ્રેસે વાગડની ભોળી જનતાને માત્ર છેતરવાનું જ કામ કર્યું છે પણ હવે આમ આદમી પાર્ટી આવી ગઈ છે જેથી વિકાસ હવે માત્ર કાગળ અને પોસ્ટરો મા નહીં પણ જમીનીસ્તર પર દેખાશે જે લોકો પાર્ટીમા જોડાયા છે એમનું સ્વાગત છે હવે વાગડને વાગડના લોકો જ બદલશે
આ અવસરે આમ આદમી પાર્ટી ના નેતા આંબાભાઈ પટેલ , સુરેશભાઈ ઠાકોર , ભરતભાઈ ગોહિલ તેમજ પ્રાવથર વિસ્તારના વિવિધ સમાજોના લોકો તેમજ આગેવાનો ઊપસ્થિત રહ્યા હતા
– આમ આદમી પાર્ટી રાપર તાલુકા