પડતર પ્રશ્નોના ઉકેલ નહીં આવતાં અંતે સોમવારથી પાલિકાના કર્મચારીઓ ચોક્કસ મુદતની હડતાળ પર ઊતરશે


પડતર પ્રશ્નોના ઉકેલની માગ સાથે અનેકવાર રજૂઆત અને હોદ્દેદારો સાથે બેઠક કર્યા પછી કોઈ નિરાકરણ નહીં આવતાં અંતે સોમવારથી પાલિકાના કર્મચારીઓએ ચોક્કસ મુદતની હડતાળ પર ઊતરવાનું નક્કી કર્યું. સોમવારે 7 હજારથી વધુ કર્મચારીઓ દ્વારા વડી કચેરી અને બોર્ડ કચેરીના કામગીરીથી અળગા રહી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
એપ્રિલમાં વોર્ડ વિભાજન બાદ અધિકારી અને કર્મચારીઓને થતી પરેશાનીઓને પણ ધ્યાને લઇ કર્મચારી મંડળે મંગળવારે પાલિકાના કર્મચારીઓએ અનેકવારની રજૂઆત અને મેયર સાથેની બેઠક પછી પણ કોઈ ઉકેલ ન આવતા છેવટે 26મીથી પાલિકાના 7 હજાર કર્મીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઊતરવાનું નક્કી કર્યું. શુક્રવારે પાલિકા સંકુલમાં એકઠા થયેલા કર્મચારીઓએ તંત્ર સામે સૂત્રોચ્ચાર કરી નારાજગી ઠાલવી હતી. સોમવારથી પાલિકાની વડી કચેરી અને વોર્ડ ઓફિસોના કર્મચારીઓ કામગીરીથી અળગા રહેશે.