પતિએ નિદ્રાધીન પત્ની અને મોટા બહેનને હથોડીના ઘા ઝીંક્યા


ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા જીવંતિકાનગર-6માં રહેતા ઉષાબેન અરવિંદભાઇ વાઢેર અને જામનગર રહેતા ઉષાબેનના બહેન હકુબેન બચુભાઇ પરમાર નામના વૃદ્ધા મંગળવારે લોહીલુહાણ હાલતમાં સારવાર માટે પહોંચ્યા હતા.પોલીસે ઇજાગ્રસ્ત ઉષાબેનની પૂછપરછ કરતા તેમના અને મોટા બહેન પર પતિ અરવિંદે હુમલો કર્યાનું જણાવ્યું હતું. હકુબેને અમદાવાદમાં હૃદયનું ઓપરેશન કરાવ્યું છે. ઓપરેશન કરાવી મોટા બહેન આરામ કરવા રાજકોટ બે-ત્રણ દિવસથી આવ્યા હતા. મોટા બહેન રાજકોટ હોતા સોમવારે ભાઇ પણ તેમની ખબર કાઢવા આવ્યા હતા અને રાત સુધી રોકાયા હતા.
જે વાતથી પતિ અરવિંદ નારાજ થતા બોલાચાલી થઇ હતી. તે દરમિયાન મંગળવારે વહેલી સવારે પોતે અને બહેન સુતા હતા. તે સમયે પતિ અરવિંદે રાતનો ખાર રાખી બંને બહેનો પર હથોડીથી હુમલો કરી નાસી ગયા હતા.