વિજાપુરમાં ઉછીના પૈસા આપવાની ના પાડતા યુવકને બે ઇસમોએ માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ


વિજાપુરના દેવપુરા સીમમાં રહેતો અર્જુન સરાણીયા વિજાપુર બજારમાં શાક શમારવા માટે ચપ્પુના ધાર કઢાવવા આવ્યો તે દરમિયાન બપોરે બસ સ્ટોપ નજીક કિશોર અને અનિલ સલાટ ફરિયાદી પાસે આવી”અમારે પૈસાની જરૂર હોય અમોને તું ઉછીના પૈસા આપ” તેમ કહ્યુ હતું. ફરિયાદીએ પૈસા આપવાની ના પાડતા બંને યુવકો ઉશ્કેરાઈને ફરિયાદીને ગાળો બોલવા લાગ્યા પછી અનિલ નામના યુવકે ફરિયાદીએ ગડદાપાટુનો માર માર્યો તેમજ કિશોરે પોતાન હાથમાં રહેલુ કડું ફરિયાદીને માથામાં મારતા લોહીલુહાણ થયો હતો.
બનાવને પગલે ફરિયાદીને વધુ મારથી છોડાવવા આવેલા તેના પરિચિત નવઘણ ભાઈને પણ માથામાં અને અન્ય જગ્યાએ કળાના 7 મારી ઘાયલ કર્યા હતા. જે પછી હુમલાખોરો પલાયન થઈ ગયા હતા. સમગ્ર બાબતે ઇજા પામનર બે યુવકો સારવાર અર્થે હોસ્પિટલ ગયા પછી વિજાપુર પોલીસ મથકમાં સલાટ કિશોર અને સલાટ અનિલ સામે ફરિયાદ દાખલ કરાવી હતી.