અમરાપુરનાં ખેડૂતે જમીન પર બેંક લોન લીધા બાદ આર્થિક સંકળામણથી આત્મહત્યા કરી


માળીયાના અમરાપુર ગામમાં એક ખેડૂતે જમીન પર લોન લીધી ઉપરાંત પોતાનો વ્યવસાય યોગ્ય રીતે ચાલતો ન હોવાથી આર્થિક ભીંસથી કંટાળી જઈ યુવાને આત્મહત્યા કરી લેતા પરિવારજનોમાં શોક છવાયું હતું. પોલીસે આ અંગે આગળની તપાસ હાથ ધરી હતી.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત અનુસાર ,માળીયા હાટીના પંથકના અમરાપુર ગામમાં રહેતાં પ્રફુલભાઈ અરજણભાઈ ચાવડાએ પોલીસમાં જણાવ્યા મુજબ રાજુભાઈ અરજણભાઈ ચાવડાએ પોતાની જમીન પર બેંક માંથી લોન લીધી હતી ઉપરાંત હીરાનો વ્યસાય સારો ચાલતો ન હોવાથી આર્થિક સંકળામણ ના કારણે રાજુભાઈ માનસિક તણાવમાં રહેતાં હતાં. છેવટે કંટાળીને વાડીએ જ ખડમાં નાંખવાની દવા પી લઈ જીવન ટૂંકાવી લીધું હતું.આ ઘટનાને લઈ પરિવારજનોમાં શોક છવાયું હતું .આ અંગે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.