માણસામાં ગોઝારિયા હાઈ-વે પર 2 ST વચ્ચે અકસ્માત


માણસાના ખરણા ગામ પાસેથી પસાર થતા ગોઝારીયા હાઈવે પર રવિવારે સાંજના અરસામાં બે એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 25 જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. બનાવની વિગતો અનુસાર ગોઝારીયા ડેપો અને વડનગર ડેપોની આ બંને બસો હતો. જુનાગઢ-વડનગર અને સિદ્ધપુર-નરોડાની આ બંને સામે ખરણા પાસે સામસામે ટક્કરાઈ ગઈ હતી. જેમાં એક બસના ડ્રાઈવર સહિત 5 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થતાં તેઓને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ મધ્યે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
બીજી બાજુ અન્ય 20 જેટલા અન્ય લોકોને નાની-મોટી ઈજાઓ થતાં માણસા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સિંગલ પટ્ટી રોડ પર પર ઓવરટેક કરવા છતાં બંને બસો સામસામે અથડાઈ હોવાનું કહેવાય છે. અહીં રોડનું કામ ચાલુ હોવાથી હાલ સિંગલ પટ્ટી જ ચાલુ છે. ત્યારે અકસ્માતમાં બંને બસ સામસામે ટક્કરાઈ જતાં ટ્રાફિક જામ થઈ ગયો હતો. બનાવને પગલે પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ટ્રાફિક ક્લીયર કરાવીને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગોઝરીયા હાઈવેનો રોડ મોટો છે પણ વચ્ચે ડિવાઈડર ન હોવાને કારણે આ પ્રકારના નાના-મોટા અકસ્માત થતાં રહે છે.