વડનગરમાં ખેડૂતે “કોને પૂછી અમારા ખેતરમાં કપાસ વીણો છો” એવું કહેત, આ મામલે માથાકૂટ થતાં ચાર સખ્શોએ લાકડીઓ વડે હુમલો કર્યો


મહેસાણા જિલ્લામાં આવેલા વડનગર તાલુકાના આનંદપુરા ગામમાં એક ખેડૂતના ખેતરમાં અન્ય ગામના ચાર જેટલા સખ્શો કપાસ તોડી રહ્યા હતા ટે દરમિયાન ખેડૂતે કપાસ ન તોડવા સખ્શોને જાણ કરી હતી. જે મુદ્દે માથાકૂટ થતા ચાર સખ્શોએ ભેગા મળી ખેડૂતને માર માર્યો હતો. માથામાં લાકડીઓ મારતા ખેડૂતને ઈજા પહોચી હતી. ખેડૂતે આ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરાવતા પોલિસ તપાસ હાથ ધરી છે.
આનંદપુરા ગામમાં રહેતા પટેલ દિનેશભાઈ નામના ખેડૂતે ફરિયાદ દાખલ કરાવતા જણાવ્યું છે કે, તેઓ રાત્રી દરમિયાન પોતાના ખેતરમાં દેખરેખ માટે ગયા હતા. એ સમયે ખેતરમાં ચાર સખ્શો જેમાં ઠાકોર કાળું, ઠાકોર નાગજી સહિત અન્ય બે અજાણ્યા સખ્શો રાત્રી દરમિયાન ચોરી છુપી કપાસ વીણી રહ્યા હતા.
ત્યારે “કોને પૂછી અમારા ખેતરમાં કપાસ વીણો છો” એમ ખેડૂતે કહેતા ચારેય સખ્શો ખેડૂત સાથે બોલાચાલી કરવા મંડ્યા હતા. જે પછી મામલો ગરમાતા ખેડૂતને ગરડા પાટુનો માર માર્યો હતો. તથા ઠાકોર કેશાજી અને અન્ય ઇસમે ખેડૂતના માથામાં લાકડીઓ મારી હતી. આ સમગ્ર મુદ્દે ડરના કારણે ખેડૂત પોતાના ઘરે આવી ગયેલા અને વડનગર સિવિલમાં સારવાર લેવાની ફરજ પડી હતી. સમગ્ર મુદ્દે ખેડૂત વડનગર તાલુકા પોલીસ મથકમાં ઠાકોર કાળુજી અણદાજી,નાગજી કેશજી ઠાકોર, સહિત અન્ય બે સખ્શ સામે ફરિયાદ દાખલ કરાવી છે.