અંકલેશ્વરમાં જુદા જુદા બે અકસ્માતના બનાવમાં 2 લોકોના મોત


અંકલેશ્વર હાઇવે પર ખરોડ ગામ નજીક આવેલા એક્સલ હોટલ પાસેથી પંકજ વજુ ઠુમ્મર મહારાષ્ટ્રથી બાઈક લઇ પોતાના વતન મધ્યે જઈ રહ્યો હતો તે દરમિયાન સુરત થી અંકલેશ્વર જવાના હાઇવે ઉપર ખરોડ ગામ નજીક આવેલી એક્સલ હોટલ પાસે પાછળથી પુરપાટ ધસી આવતા ટ્રકના ચાલકે બાઈક સવારને ઠોકર મારી હતી. અકસ્માતમાં પંજક ઠુમ્મરને શરીરમાં ગંભીર ઈજાઓ થતાં તેનું મૃત્યુ નીપજયું હતું.
બીજી ઘટના અંકલેશ્વર જુના નેશનલ હાઇવે નંબર 8 પર ભરૂચ અંકલેશ્વર રોડ પર બની હતી. જ્યાં અક્ષર આઇકન મધ્યે રહેતા 67 વર્ષીય વસંત રાઠોડ પોતાની પત્ની નીતા બેન જોડે ઘરે જવા માટે નીકળ્યા હતા. જ્યાં તેઓ રસ્તો ક્રોસ કરી રહ્યા હતા તે દરમિયાન પુર ઝડપે આવી રહેલા બાઈક ચાલકે વસંત રાઠોડને ઠોકર મારી ફંગોળી દીધા હતા. જેમાં ગંભીર ઇજા થતાં 108 ની મદદ થી જયાબહેન મોદી હોસ્પિટલ મધ્યે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.