બિમારીથી કંટાળી જઈને વૃદ્ધે રસોડામાં ગેસ ચાલુ કરી ઓશીકુ સળગાવી અગ્નિસ્નાન કરી જીવન ટૂંકાવી લીધું


રાજકોટના મવડી વિસ્તારમાં પંચશીલ સોસાયટી-7 માં રહેતાં વશરામભાઇ દેશાભાઇ વાઘેલા (ઉ.વ.75) નામના વૃધ્ધ ઘરે સળગી જતાં ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. 108 ના ઇએમટીએ જાણ કરતાં તાલુકા પોલીસ મથકના પીએસઆઇ આર.જે.ચારણ તથાસા સંજયભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યા અનુસાર આપઘાત કરનારને સંતાનમાં એક પુત્ર છે જે ખાનગી નોકરી કરે છે. સાંજે વશરામભાઇના પત્નિ ઘરની ડેલીએ હતાં ત્યારે તેમણે રૂમમાંથી માંડ માંડ રસોડામાં પહોંચી ગેસ ચાલુ કરી ઓશીકુ સળગાવી તેનાથી અગ્નિસ્નાન કરી લીધું હતું. જો કે બિમારીથી કંટાળી જઈને વૃધ્ધે આ પગલુ ભર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.