ટાગોર રોડ પર બાઇક થાંભલામાં અથડાતાં બાઇક ચાલકનું મોત નીપજયું

આદિપુરના વોર્ડ-3/એમાં રહેતા 33 વર્ષીય વાલજી કાનજી જરૂ સવારે બાઇક લઇને પૂર ઝડપે જઇ રહ્યા હતા તે દરમિયાન ટાગોર રોડ પર ડીસી-5 સામે બાઇક થાંભલામાં ટક્કરાતા ગંભીર ઇજાઓને થવાના કારણે મૃત્યુ થયું હોવાની પ્રાથમિક વિગતો પોલસ સૂત્રોએ આપી હતી. મોડે સુધી આ બનાવ અંગે પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ હતી નહિ પરંતુ આ જીવલેણ બનાવથી પરિવારમાં શોક છવાયું હતું.