રેલવે સ્ટેશનના ગેટ પાસેની કેબિનના તાળા તોડી 5 હજારની ચીજ વસ્તુ ચોરી કરાઇ

આદિપુર રહેતા પ્રકાશભાઇ તારાચંદ લાલવાણીએ બી-ડિવિઝન પોલીસ મથકમાં દાખલ કરેલ ફરિયાદમાં જણાવ્યા અનુસાર ગત સાંજે તેમણે પોતાની રેલ્વે સ્ટેશનના ગેટ નજીક આવેલી કેબિન બંધ કરીને ગયા પછી આજે સવારે તેઓ કેબિને ગયા ત્યારે તાળા તૂટેલા હતા અને અજાણ્યા ચોર શખ્સે કેબીનમાંથી રૂ.500 રોકડ, ગુટખા, સિગારેટના 80 પેકેટ મળી કુલ રૂ.5,556 ની ચોરીને અંજામ આપ્યો છે. તેમની ફરિયાદના આધારે પીએસઆઇ એન.કે.ચૌધરીએ વધુ તપાસ ચલાવી છે.