અમદાવાદમાં ફતેવાડીમાં વાહનચાલકે અડફેટે લેતા 46 વર્ષીય પુરુષનું મોત નીપજયું

એ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં અનાર્મ હેડ કોન્સ્ટેબલ રાયમલભાઈ ફરજ પર હાજર હતા તે દરમિયાન તેમને કંટ્રોલ તરફથી મેસેજ મળ્યો હતો કે, 46 વર્ષીય પુરુષનો જુહાપુરાથી સરખેજ તરફ જતા ફતેવાહી રસ્તા પર અકસ્માત થયો છે, જેથી પોલીસના સ્ટાફે ત્યાં પહોંચી તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે, પુરુષ રોડ પર ચાલતો ફતેવાહી રસ્તા તરફ જઈ રહ્યો હતો તે સમય દરમિયાન કોઈ અજાણ્યા વાહનચાલકે તેને ઠોકર મારતા તે જમીન પર પટકાયો હતો અને ગંભીર ઈજા પહોચતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તેનુ મૃત્યુ થયું હતું. આ અંગે એ ડિવિઝન ટ્રાફિક પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.