ચાંદ્રાણી નજીક છકડો પલટી જતાં રાજકોટના પરિવારના 1 સભ્યનું મૃત્યુ: 4 ઇજાગ્રસ્ત

અંજારના ચાંદ્રાણી નજીક દર્શનાર્થે આવેલા રાજકોટના પરિવારનો છકડો પલટી મારી જતાં એક સભ્યનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું જ્યારે ચારને ઇજા પહોચી હોવાની ઘટના બની હતી.
મોરબી રહેતા પ્રકાશભાઇ રાજુભાઇ મકવાણાએ દાખલ કરાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આ જીવલેણ અકસ્માતની ઘટનામાં જેમાં રાજકોટ રહેતા 52 વર્ષીય સસરા જીતેશ સામત ખટાવરા , સાસુ હંસાબેન , હિતેશભાઇ ભરવાડ રાજેશ બાવાભાઇ ડાભીનો છકડો ભાડે કરી કબરાઉ મોઘલધામ તથા અંજારના જેસલ તોરલ સમાધીના દર્શન કરી પાછા રાજકોટ તરફ જઇ રહ્યા હતા.
ત્યારે રાત્રે 11 વાગ્યાના સમયગાળામાં ચાંદ્રાણી નજીક છકડા ચાલક રાજેશભાઇએ કાબુ ગુમાવી દેતા છકડો પલટી જતાં સસરા જીતેશભાઇને માથા અને છાતીના ભાગમાં ગંભીર ઇજાઓ થઈ હતી તેમને સ્થાનિકે સારવાર આપ્યા પછી રાજકોટ લઇ જવામાં આવ્યા હતા જ્યાં તેમણે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો, તો આ અકસ્માતમાં ફરિયાદી પ્રકાશભાઇને, હંસાબેન,હિતેશભાઇ તથા છકડા ચાલક રાજેશભાઇને નાની મોટી ઇજાઓ થઈ હતી. પ્રકાશભાઇએ દુધઇ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.