સરિયદ- પાટણ હાઇવે ઉપર કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા કાંસાના બે ખેડૂતનાં મોત નિપજ્યાં

સરસ્વતીના સરિયદથી પાટણ તરફ આવવાના મુખ્ય હાઈવે થીંગડાવાળો બિસ્માર હાલતમાં રોડ ના લીધે બપોર સમયે કોઈ કારણોસર બાઈક અને કાર સામ સામે ટક્કરાતા કાંસા ગામના બાઇક સવાર બંને ખેડૂતોના સારવાર દરમિયાન મોત થતા ઘરના બે મોભી ગુમાવતા પરિવારો સહિત ગામમાં શોક છવાઈ ગયો હતો. આ ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરાઇ છે.સરીયદ થી પાટણ હાઈવે ઉપર કાંસા ગામના બે આધેડ ખેડૂતો પાટણ તરફ કામ માટે આવી રહ્યા હતા.
આ દરમિયાન હાઇવે ઉપર સરીયદ ગામ પાસે ક્રિષ્ના ફાર્મ હાઉસ નજીક રસ્તા ઉપર ઉબડ- ખાબડ હાઇવે હોય બાઈક ના પછડાય તે માટે વળાંક લેતા સામે પાટણ તરફથી આવી રહેલ સેન્ટ્રો ગાડી નંબર GJ 18 AH 6076 ની બંને સામ સામે અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
જેમાં બાઈકને ઠોકર વાગતા બાઇક સવાર બંને ખેડૂતો પટકાતાં માથા સહિત શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં સ્થળ ઉપર હાજર લોકો દ્વારા પાટણમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા. ગંભીર હાલત હોવાટી સારવાર દરમિયાન કાંસા ગામના (1)ઠાકોર અમરતજી મસાજી ઉંમર.વર્ષ 65 તેમજ (2) ઠાકોર ઈશ્વરજી તલાજી ઉમર.વર્ષ 55 બંનેના મૃત્યુ થતાં પીએમ માટે ધારપુર સિવિલ હોસ્પિટલ મધ્યે લઈ જવાયા હતા. તેવુ સ્થાનિક સૂત્રોએ જણાવ્યું હતું.
 
                                         
                                        