માધાપરમાં 20.21 લાખમાં કાર વેચાતી લીધા પછી કાર મૂળ માલિકે પાછા લઈ પરત ન આપતાછેતરપિંડીની ફરિયાદ નોંધાઈ

માધાપરમાં કાર વેચાતી લીધા પછી તેના મૂળ માલિક ગાડી માગતાં વિશ્વાસ રાખી આપ્યા પછી ગાડી પાછી ન આપી રૂા. 20.21 લાખની ઠગાઇ કર્યાની ફરિયાદ દાખલ કરાઇ છે. આ બાબતે માધાપર પોલીસ મથકમાં ગણેશભાઈ વાલાભાઈ ચૌધરી (રહે. નવાવાસ – માધાપર)એ દાખલ કરાવેલ ફરિયાદ અનુસાર તેમણે આરોપી હિતેશ અમૃતલાલ સિદ્ધપુરા પાસેથી હ્યુન્ડાઈની કાર નં. જી.જે.-12-એફબી-5441વાળી રૂા. 20.21 લાખમાં ત્રણ રૂપિયાના સ્ટેમ્પ પેપરના લખાણ ઉપર લીધી હતી. ત્યાર પછી આ કાર શોરૂમમાં રિપેરિંગમાં હતી તે દરમિયાન આરોપી હિતેશે માગતાં વિશ્વાસના આધારે ફરિયાદીએ તેને આપી દીધી હતી, પરંતુ ગાડી પાછી માગતાં આરોપી હિતેશ ગાડી નહીં મળે તેવું જણાવી ગાડીની માગણી કરી છે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. ગાડી વેચાતી આપવાના બહાને રૂા. 20.21 લાખની ઠગાઇ કર્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.