અખાદ્ય ગોળનો જથ્થો પકડી પાડતી એલસીબી પશ્ચિમ કચ્છ

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભ સિંધ સાહેબનાઓએ માનવ જીવનપર વિપરીત અસર થતી હોય તેવી અખાધ્ય વસ્તુ વેચતા ઇસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ જે અનુસંધાને

આજરોજ એલ.સી.બી. પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન. ચુડાસમા સાહેબ તથા પો.સબ.ઇન્સ.શ્રી ટી.બી.રબારી સાહેબનાઓનએ એલ.સી.બી. સ્ટાફના માણસોને માનવ જીવનપર વિપરીત અસર થતી હોય તેવી અખાધ્ય વસ્તુ વેચતા ઇસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હતી જે સુચના મુજબ એલ.સી.બી. સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ બલભદ્રસિંહ રાણા તથા સુરજભાઇ વેગડાનાઓ માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ બલભદ્રસિંહ રાણા નાઓને ખાનગીરાહે બાતમી હકીકત મળેલ હતી કે, દહીસરા ગામ મધ્યે મનીષભાઇ મણીલાલ ઠક્કરના કબ્જા ભોગવટાના ભાડાના ગોડાઉનમાં અખાધ્ય (સડેલો) ગોળનો જથ્થો છે અને આ ગોળ અન્ય ઇસમોને વેચાણ કરતા હોવાની હકીકત મળેલ જેથી આ ગોળ અખાધ્ય હોવાનું પરિક્ષણ કરાવવા એફ.એસ.એલ. અધિકારીશ્રી સાથે રાખી બાતમી હકીકત આધારે ત્યાં જઈ તપાસ કરતા મનીષભાઇ મણીલાલ ઠક્કર રહે જી.ઇ.બી.ની પાછળ, દહીસરા તા.ભુજ વાળો હાજર મળી આવેલ જેને સાથે રાખી ગોડાઉનમાં તપાસ કરતાં અખાધ્ય ગોળ કુલ્લ ૪૫૦ કિલ્લો ગ્રામ (ક.ગ. ૧૩,૫૦૦/- નો જથ્થો મળી આવેલ. જેથી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.