અંજાર ડીવાય.એસ.પી.ના રાઈટરનું અકસ્માતમાં મોત નીપજયું

copy image

અંજાર નાયબ પોલીસ અધિકારીની કચેરીમાં ફરજ બજાવતા હિતેશકુમાર પરસોત્તમભાઈ કાલિયાને અકસ્માત થતાં તેમનું મૃત્યુ નીપજયું હતું. અંજારમાં રહેતા તથા ડીવાય.એસ.પી. કચેરીમાં છેલ્લા દોઢ-બે વર્ષથી ફરજ બજાવતા હિતેશકુમાર કાલિયાનો અકસ્માત થયો હતો. આ જ કચેરીમાં ફરજ બજાવતા અલીમામદ અંસારી અને હિતેશ કાલિયા પોતાની બાઈકથી કચેરીએ આવતા હતા. અલી અંસારી પાછળ હતા ત્યારે આ હેડ કોન્સ્ટેબલ પોતાના બાઈકથી આગળ હતા. તેઓ આશાબા વેબ્રિજથી ડીવાય.એસ.પી. કચેરી બાજુ જતા સર્વિસ રોડ ઉપર ચડયા તેવામાં આ હેડ કોન્સ્ટેબલની બાઈકને કૂતરું આડું આવતાં તેઓ નીચે પટકાયા જેથી તેઓને ઈજાઓ પહોંચી હતી. પાછળ આવી રહેલા અન્ય પોલીસકર્મી અલી અંસારી ઘવાયેલા આ ડીવાય.એસ.પી. રાઈટરને સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત ઘોષિત કર્યા હતા. આ ઘટનાથીથી પોલીસ બેડાંમાં શોકની લાગણી પ્રસરી હતી.