નખત્રાણા રવાપરમાં બારી, બારણા તોડ્યા વગર ઘરમાંથી 15 લાખથી વધુની મતાની તસ્કરી થતાં ગામમાં ચકચાર

copy image

નખત્રાણા તાલુકાના રવાપર ગામમાં ધોળા દિવસે ઘરનો દરવાજો કે બારી બારણા તોડ્યા વગર જાણભેદુ મનાતા ઇસમોએ ઘરમાંથી રોકડ તથા દાગીના સહિત 15 લાખથી વધુની માલમતાની તસ્કરી કરતા નાનકડા ગામમાં ચકચાર ફેલાયો છે.

મળતી માહિતી અનુસાર રવાપરમાં કરમશીભાઈ મેઘજી ભગતના ઘરે ચોરીની ઘટના બની હતી. આ મકાનમાં રહેતા દંપતી ઊંઝા ગામમાં લગ્ન પ્રસંગ હોવાથી ત્યાં ગયા હતા ત્યારે ઘરે દાદા-પૌત્ર એકલા હોવાટી તેઓ દુકાને જ સમય વિતાવતા હતા. સવારે તેઓએ તિજોરી તપાસતા ત્યારે મુદ્દામાલ સલામત જણાયો હતો પણ 26 તારીખે રાત્રે તિજોરી ખોલતા દાદા ચોંકી ગયા હતા.કેમ કે, કબાટનું લોકર ગેસ કટર વડે કાપેલી હાલતમાં જણાયુ અને તેમાં દાગીના અને રોકડ રકમ ગાયબ જણાઈ હતી.

ફરિયાદીના કહેવા અનુસાર, તેમના ઘરેથી રોકડા રૂપિયા તથા અન્ય 23 તોલા સોનાચાંદીનો ઘરેણા મળી 15 લાખથી વધુની માલમતા ચોર તફડાવી ગયા હોવાનું અનુમાન છે. ફરિયાદી પોતે ખેડૂત હોવાટી ખારેક વેચાણના તથા દુકાનના વકરા સહિતના રૂપિયા ઘરે રાખેલા હતા .જે રકમની ચોરી થઇ ગઈ હતી. પણ સવારે રાજકીય સભાનો બંદોબસ્ત પૂરું થયા પછી સાંજે પોલીસ કર્મીઓ રવાપર આવવા નીકળ્યા અને પહોંચવા આવ્યા ત્યાજ કોટડા જડોદર નજીક રાજકીયડ્રામા સર્જાતા પોલીસ બંદોબસ્તમાં દોડી ગઈ જેથી  પોલીસ ફરિયાદ લેવા પહોંચી ન શકી. જેથી લોકોએ અસલામતી પણ અનુભવી હતી.