શંખેશ્વરનાં બિલીયા રોડ ઉપર બે બાઇકો ટક્કરાતા અકસ્માત સર્જાયો: એકનું મોત

copy image

શંખેશ્વર તાલુકાનાં બિલીયા ગામથી મનવરપુરા કેનાલ નજીક સવારે સર્જાયેલા એક અકસ્માતમાં બે બાઇકો એકબીજા સાથે ટક્કરાતા એક બાઇક પર સવાર ચાલકને ગંભીર ઇજા પહોચતા મૃત્યુ થયું હતું. જ્યારે તેમનાં મિત્રને ઇજા થઈ હતી.

મળતી માહિતી અનુસાર શંખેશ્વરનાં બિલીયા ગામમાં રહેતા દિનેશભાઇ માનુભાઇ નાડોદા અને તેમનાં મિત્ર વિનોદભાઇ વશરામભાઇ રાઠોડ (નાડોદા) બંને જણા બાઇક લઇને બિલીયા ગામેથી સમી લોલાડા ગામમાં લગ્નપ્રસંગે જઈ રહ્યા હતા ત્યારે બિલીયાથી મનપુરા વચ્ચે કેનાલ રોડ ઉપર એક 407 ટ્રક જતી હોવાથી બાઇકનાં ચાલકે તેને ઓવરટેક કરી બાઇકને આગળ લઇ જતાં અચાનક ખાડો આવતાં બાઇક ધીમું કર્યું તે જ સમયે સામેથી રોડ ઉપર એક અન્ય બાઇક પણ પૂરપાટે આવતાં દિનેશભાઇ અને વિનોદભાઇના બાઇકને જોરથી ઠોકર વાગી ગઈ હતી. જેમાં બાઇક ચાલક વિનોદ રાઠોડને ગંભીર ઇજા પહોચતા તેનું મૃત્યુ થયું હતું ને દિનેશભાઇને પણ પગમાં ગંભીર ઇજા થઈ હતી. તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે પોલીસે ગુનો દાખલ કર્યો હતો.