રાજુલાના માંડળ ગામ પાસે સુરતથી દિવ જઈ રહેલી ખાનગી બસ પલટી મારી જતાં 15થી વધુ મુસાફારો ઈજાગ્રસ્ત
અમરેલી જિલ્લાના રાજુલાના માંડણ ગામ પાસે વહેલી સવારે સુરતથી દિવ તરફ જઈ રહેલી ખાનગી બસ પલટી મારી ગઈ હતી. અકસ્માત થતા બસમાં સવાર મુસાફરોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. અકસ્માતમાં 40 જેટલા મુસાફરો સવાર હતા જેનો આબાદ બચાવ થયો છે. જોકે 15થી વધુ મુસાફરોને સામાન્ય ઈજા થઈ છે.
માંડણ ગામ પાએ ખોડિયાર ટ્રાવેલ્સના ડ્રાઇવર સ્ટેરીંગપરથી કાબુ ગુમાવતા બસ રોડ નીચે ઉતરી જઈ પલટી ખાઈ ગઈ હતી. જેથી મુસાફરોમાં દોડધામ મચી જવા પામી હતી. આ બસમાં 40 જેટલા મુસાફરો સવાર હતા જેમાંથી 15થી વધુ મુસાફરોને સામાન્ય ઇજાઓ થતા તેઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા. અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો તથા ડુંગર પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી છે. અકસ્માત સર્જાયા બાદ બસ ચાલક પલાયન થઈ ગયો હતો.