માંડવી તાલુકા ના ભોજાય ગામમાં સર્વે નંબર 190 માં અંદાણી કંપની દ્વારા બળજબરી થી માલિકી ની પરવાનગી વગર વીજતાર લગાવાયા

માંડવી તાલુકા ના ભોજાય ગામમાં સર્વે નંબર 190 માં અંદાણી કંપની દ્વારા બળજબરી થી માલિકી ની પરવાનગી વગર વીજતાર લગાડવામાં આવી છે. આ રીતે ગેર કાયદેસર અપ પ્રવેશ કરતા તે ખેતર ના માલિક જવેરચંદ લીલાધર ગાલા એ ગઢસીસા પોલીસ સ્ટેશન તેમજ એસ. પી.ભુજ, કલેકટર સાહેબ ભુજ તમામને લેખિતમાં ફરિયાદ કરેલ છે.
સાથોસાથ આ મીડિયાના માધ્યમથી જે નાના નાના ખેડૂતો છે તેમને આ ભાઈ જાગૃત થવા અપીલ કરી છે કે જે પણ ખેડૂત આ કંપની સાથે વીજતાર અથવા વીજ થાંભલા માટે પોતાના ખેતર માં સંમત થાય તો લેખિત કરાર ની શરતો વાંચી પછી સહી કરજો કારણકે 18-11-2022 ના રોજ કચ્છમિત્રમાં કપની દ્વારા પ્રસિદ્ધિ નોટિસ વાંચી ને જોજો તેમાં લખ્યું છે કે જે કોઈપણ તમારા ખેતરમાં કામ કરશો તો આ કપની પરમિશન સિવાય માલિક પણ કાંઈ કામ કરી શકશે નહીં જો તમને વીજ કનેક્શન નાખો હશે તો પણ એમની પરમિશન સિવાય તમે લઈ શકશો નહીં હમણાંથી જ વીજ કનેક્શન માટે ભોજાય ગામના ખેડૂત ને વીજ કનેક્શન માટે જીઇબી માં અરજી સ્વીકારવામાં આવી નથી એનું કારણ પૂછતા તે લોકો કહે છે કે સુપ્રીમ કોર્ટનું આદેશ છે તો આ કંપની વાળા આટલી આટલી મોટી મોટી લાઈનો થાંભલાઓ નાખે છે એ લોકોને પરમિશન કેમ આપે છે જો ખેડુને પોતાની ખેતી કરવા માટે પણ કનીક્શન ની ના કરે છે તો હવે ખેડૂતો શું કરે
રિપોર્ટ બાય હીરાલાલ સંઘાર કચ્છ કેર ટીવી ન્યુઝ ભોજાય