ભચાઉ નજીક કેનાલમાં ડૂબેલા બાળકોની શોધખોળના 3 દિવસ બાદ એકનો મૃતદેહ મળી આવ્યો

copy image

ભચાઉમાં રહેતા પરપ્રાંતિય શ્રમિક પરિવારના એક જ શાળામાં સાથે અભ્યાસ કરતાં પાંચ બાળકો સાંજે લોધેશ્વર પાસેની નર્મદા કેનાલમાં નહાવા ગયા બાદ ત્રણ બાળકો કેનાલના ઉંડા પાણીમાં ગરકાવ થઇ જતાં આદરાયલી શોધખોળ ત્રીજા દિવસે પણ ફાયર ફાઇટર ટીમો દ્વારા શોધખોળ જારી છે ત્યારે સામે ડૂબી ગયેલા એક બાળક વિવેકનો મૃતદેહ મળી આવ્યો.

આ પાંચ પૈકી વિશાલ ચૌહાણ અને ધ્રુવ બારૂપારનો ચમત્કારિક બચાવ થયો હતો જ્યારે મુળ બીહારના હાલમાં\ નવા ભચાઉમાં રહેતો 14 વર્ષીય આલોક રમેશભાઇ પંડિત, મુળ ઉત્તરપ્રદેશના હાલે ભચાઉના બાપુનગર ડુંગર પર રહેતા 14 વર્ષીય પ્રિન્સ જીતેન્દ્રભાઇ ઓઝા અને ભચાઉના બાપુનગરમાં રહેતો 14 વર્ષીય વિવેક ચૌહાણની બીજા દિવસે 30 કલાક પછી પણ શોધખોળ ચાલુ રહી હતી. ત્રીજા દિવસે ત્રણમાંથી વિવેકનો મૃતદેહ લોધેશ્વર પાસેના સ્ટાઈફન્ડમાંથી મળી આવતા તેને ભચાઉ સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.