ભચાઉ કેનાલમાં ડુબી ગયેલા બાળકોની શોધખોળમાં બીજા બે બાળકોના મૃતદેહ પણ મળ્યા

ભચાઉમાં રહેતા પરપ્રાંતિય શ્રમિક પરિવારના એક જ શાળામાં સાથે ભણતા પાંચ બાળકો શનિવારે સાંજે લોધેશ્વર પાસેની નર્મદા કેનાલમાં નહાવા પડ્યા પછી ત્રણ બાળકો કેનાલના ઉંડા પાણીમાં ગરકાવ થઈ જતાં શોધખોળના ત્રીજા દિવસે એક બાળકનો મૃતદેહ મળ્યા પછી હવે અન્ય બે બાળકોના મૃતદેહ પણ મળ્યા હતા.
જેમાંથી વિવેકનો મૃતદેહ ગત રોજ સાઈફન્ડથી મળ્યો હતો તો ચોથા દિવસ આલોક અને પ્રિન્સનો મૃતદેહ પણ સાઈફન્ડથી મળી આવ્યાનું ભચાઉ પીઆઈ ઘસુરાએ જણાવ્યું હતું. બંનેને સરકારી હોસ્પિટલ ખસેડીની પીએમની તજવીજ હાથ ધરવામાં આવી હતી.