સાવરકુંડલા પાસે  એસટી બસ અને સાયકલનું અકસ્માત: સાયકલ ચાલક આધેડનું મોત નીપજયું

સાવરકુંડલામા ગીરધરવાવ પાસે બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં અહીથી સાયકલ લઇને પસાર થઈ રહેલા એક આધેડને એસટી બસના ચાલકે ઠોકરે લેતા તેમનુ ઘટના સ્થળે જ મૃત્યુ નિપજયું હતુ.

બાઢડામા રહેતા એક આધેડ પોતાની સાયકલ લઇને અહીથી પસાર થઇ રહ્યાં હતા તે દરમિયાન  પુરપાટે આવી રહેલ જામનગર મહુવા રૂટની એસટી બસના ચાલકે તેમને ઠોકરે લીધા હતા. અકસ્માતમા આધેડને માથાના ભાગમાં ગંભીર ઇજાથતાં તેમનુ ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતુ. મૃતક આધેડની લાશને પીએમ અર્થે અહીની કે.કે.મહેતા સરકારી હોસ્પિટલમા ખસેડાઈ હતી.