ગળપાદર નજીક અજાણ્યા વાહનની હડફેટે ચાલકનું મૃત્યુ

અકસ્માતની અન્ય એક બનાવ ગાંધીધામના ગળપદાર પાસે પ્રકાશમાં આવી હતી. ગત બુધવારના સવારના અરસામાં ગળપાદર પાસે પુલિયા નજીક માતેલા સાંઢની માફક દોડી જતું અજાણ્યું વાહન ટ્રેઇલર નંબર જીજે-12-એવાય-7330 સાથે ટકરાઇ ગયું હતું. જેથી ટ્રેઇલરમાં સવાર નવતેજસિંધ ગુરનામસિંધ સિંધ(ઉ.વ.40)(રહે યુપી)ને ગંભીર રીતે ધાયલ થતાં મૃત્યુ પામ્યા હતા. બનાવબાદ એ ડિવિઝન પોલીસે નાસી ગયેલા ઈસમ સામે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.