નારાયણ સરોવરમાં પરિણીતાની છેડતી કરી ; સામા પક્ષે પરણીતા’વિરૂદ્ધ પાઇપ વડે મારમાર્યના ફરિયાદ નોંધાવી

નારાયણ સરોવરમાં પરિણીતાએ છેડતી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે તો સામા પક્ષે યુવકે માર માર્યા હોવાની ફરિયાદ નોંધાવી છે.આ ઘટનાની મળતી માહિતી અનુસાર નારાયણ સરોવરમાં રહેતી પરિણીતાએ દિલીપભાઈ બિસસ (રહે. નારાયણ સરોવર તા. લખપત) સામે છેડતી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી તજવીજ હાથ ધરી હતી. જ્યારે સામા પંક્ષે દિલીપ બીસસે પરિણીતા વિરૂધ્ધ પાઇપ વડે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. સામાસામી ફરિયાદ નોંધી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.