નખત્રાણાના રસલીયામાં ઘરના આંગણામાં પાર્ક કરેલ બાઈકની ચોરી થતાં ફરિયાદ નોંધાઈ

નખત્રાણાના રસલીયામાં ઘરના આંગણામાં પાર્ક કરેલ બાઈકની ચોરી થઈ જતાં પોલીસ ફરિયાદ નોંધવાઈ છે.

નખત્રાણા પોલીસ મથકે ઈશ્વરભાઇ હિરજીભાઇ ભાવાણીએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તા.29-12ના રાત્રીના દસેક વાગ્યે પોતાની માલીકીની GJ-12DL-4645 બાઇક આંગણામાં પાર્ક કરી સૂઈ ગયા હતા. બીજા દિવસે સવારે 6 વાગ્યે આંગણામાં પાર્ક કરેલ બાઇક જોવા મળી ન હતી. આસપાસ તપાસ કરતાં બાઇક અંગે કોઈ જાણકારી મળી નહતી. પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.