ગાંધીધામના આંગડીયા પેઢીના સંચાલક પાસેથી પિસ્તોલ દેખાડી અજાણ્યા વ્યક્તિ દ્રારા રૂ. 41 લાખની લૂંટ કરવામાં આવી

ગાંધીધામના શક્તિનગર મકાન નં બી 153માં રહેતા પ્રતીક અમૃતભાઈ ઠક્કર જે પોતાનો આંગડીયો બંધ કરીને ઘરે પરત ફરયા ત્યારે એકટીવા ઉપર આવેલ એ આજાણ્યા શખ્સે તેમાં ઘરના દરવાજા પાસે તેમને પિસ્તોલ દેખાડીને રૂ. 41 લાખની તેમના હાથમાંથી બેગ લઈ લૂંટ કરીને નાસી છૂટયો હતો. આ બનાવ પ્રતીકભાઈ જે પોતાના ઘરે પીએનટી કોલોની પાછળ મકાન નં બી 153માં જઈ રહ્યા હતા. ત્યારે રાત્રીના પોણા દસ વાગ્યાના અરસામાં બન્યો હતો. જેની પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસ દ્રારા આ અજાણ્યા વ્યક્તિની તપાસ હાથ ધરવામાં આવી છે.