ગાંધીધામ બંધ ઘરમાંથી 35,000ની તસ્કરી

ગાંધીધામના સપનાનગર વિસ્તારમાં ઇસમોએ એક બંધ ઘરને નિશાન બનાવીને દરવાજાનો ઇન્ટરલોક તોડીને અંદરથી રૂ.35,000ના માલમતા તસ્કરી કરીને લઈ ગયા છે. ગાંધીધામ બી ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, વ્યવસાયે ટ્રાન્સપોર્ટર અને સપનાનગરના ઘર નંબર ડી-78 માં રહેતા નરેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજાના બંધ ઘરને ઇસમોએ નિશાન બનાવીને બંધ ઘરના દરવાજાનું ઇન્ટરલોક તોડી અંદર ધૂસીને રૂદ્રાક્ષની જુદી-જુદી ચેઇન, ચાંદીના આભૂષણો, કંદોરો, ચાંદીની ચેઇન, બે કાંડા ધડિયાળ, ચાંદીની મૂર્તિઓ, ચાંદીનો ધુધરો, બે સિક્કા સહિત કુલ રૂ.34,900ની તસ્કરી કરીને લઈ ગયા હતા. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. પણ ઇસમોના પરોણાથી ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોમાં ડર ઉભો થઈ ગયો છે. કાયદાના રક્ષકો પગલા ભરીને ઇસમોને ઝડપી મુદામાલ રિકવર કરે તે જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *