જૈન દેરાસરમાં તસ્કરીનો પ્રયાસ, ત્રણ શખ્સ ઝડપાયા

વિસનગર તાલુકાનાં ભાન્ડુ ગામે હાઇવે પર વિનય અભય ધર્મધામ જૈન દેરાસરનું મંદિર આવેલું છે. આ મંદિરના દરવાજાનું તાળું તોડી ગત રાત્રિના અરસામાં ત્રણ વ્યક્તિઓએ તસ્કરી કરવાનો પ્રયાસ કર્યો તો જોકે તે વખતે મંદિરના પુજારી નવીનભાઈ મોતીરામ સાધુને અવાજ સાંભળતા શંકા થઈ હતી. જેથી તેમણે બુમાબુમ કરતાં આસપાસના લોકો ભેગા થઈ જતાં તસ્કરીનો પ્રયાસ કરનાર તોસીમ મહંમદભાઈ મનસુરી, ભાવેશ મુકેશભાઈ પટેલ અને દિપક ઉર્ફે ભુરો વિષ્ણુભાઈ પટેલને આબાદ પકડી લીધા હતા. ઝડપાયેલા ત્રણેય ઇસમોને વિસનગર તાલુકા પોલીસને સુપરત કરતાં તેમની વિરુધ્ધ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *