કિડાણા ખાતે આવેલ યોગેશ્વરનગર સોસાયટીમાં 22 વર્ષીય યુવાને ગળે ફાસો ખાઈ મોતને ભેટો કર્યો

suisaid

copy image

  કિડાણા ખાતે આવેલ યોગેશ્વરનગર સોસાયટીમાં 22 વર્ષીય યુવાને ગળે ફાસો ખાઈ મોતને ભેટો કર્યો હતો. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર કિડાણા ખાતે આવેલ યોગેશ્વરનગર સોસાયટીમાં 22 વર્ષીય મનોજ રાયશી ભગુણા એ ગળેફાંસો ખાઇ જીવનનું અંતિમ પગલું ભરું હતું. મનોજ ભગુણા નામના યુવાને ગત સાંજે પોતાના ઘરે આ અંતિમ પગલું ભર્યું હતું. મળેલ માહિતી મુજબ આ યુવાને કોઈ અગમ્ય કારણોસર પંખામાં ગળે ફાંસો ખાઇ પોતાનો જીવ આપી દીધો હતો. આ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.