અંજારમાં 16 વર્ષીય કિશોરીએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

copy image

  અંજારમાં આવેલ વીડીરોડ રોટરીનગરમાં 16 વર્ષીય કિશોરીએ ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કર્યો હતો. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર અંજારમાં આવેલ વીડીરોડ પર રોટરીનગરમાં આવેલા પ્લોટ નંબર 40માં રહેતી તન્વી પ્રવીણ પ્રજાપતિ નામની 16 વર્ષીય કિશોરીએ ગત તા. 31/10ના રાતના અરસામાં ગળે ફાસો ખાઈ લીધો હતો.આ કિશોરી પોતાના ઘરે હતી, તે સમયે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવનનું અંતિમ પગલું ભર્યું હતું. પોલીસે આ બનાવ અંગે આગળની વધુ તપાસ આદરી છે.