ભુજ બસ પોર્ટમાં એસ.ટી. બસના આગમનમાં અડચણ સ્વરૂપ બની રહેલ લારી ગલ્લાને ખસેડવા અંગે સમજાવટ શરૂ

ભુજ બસ પોર્ટમાં એસ.ટી. બસના આગમનમાં અડચણ સ્વરૂપ બની રહેલ લારી ગલ્લાને ખસેડવા અંગે સમજાવટ શરૂ કરી દેવાઈ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પાલિકાના મુખ્ય અધિકારી જીગર પટેલ દ્વારા ગત બુધવારે પાલિકાના પદાધિકારીઓને સાથે રાખીને શહેરી શેરી ફેરીયા સમિતિના સદસ્યોને વિશ્વાસમાં લેવા બેઠક યોજાઈ હતી. આગામી 1 ડિસેમ્બરના ટ્રાફિક સમસ્યા ન વધે એ રીતે તમામ માર્ગ બિલકુલ સાફ કરી દેવામાં આવશે. સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે પાલિકામાં બુધવાર સવારથી બેઠકોનો દોર શરૂ થયેલ હતો. શરૂઆતમાં દબાણ શાખા, સેનિટેશન શાખા, એન.યુ.એલ.એમ. શાખાના વડાઓ સાથે બેઠકનું આયોજન કરાયું હતું.