નખત્રાણા ખાતે આવેલ નેત્રા ગામની આંગણવાડી બિસ્માર હાલતમાં

ea40a856-07e3-4239-a1e0-12e84b673e56

copy image

copy image

નખત્રાણા ખાતે આવેલ નેત્રા ગામના મફતનગરમા આવેલ આંગણવાડીની બિસ્માર હાલતને લઈને ગામ લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. આંગણવાડીની તમામ બારીઓ, મેઈન ગેટ, સંડાસ-બાથરૂમના દરવાજા તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે તેમજ અંડર ગ્રાઉન્ડ પાણીના ટાંકાનુ ઢાંકણું જ નથી. આ આંગણવાડીમાં 112 બાળકો આવે છે, તેમને તથા આંગણવાડીની બહેનોને શૌચક્રિયા માટે તકલીફનો સામનો કરવો પડે છે. બારીઓ ખુલ્લી રહેતા બાળકોને ઠંડીનો સામનો કરવો પડે છે. અંડર ગ્રાઉન્ડ પાણીના ટાંકાનુ ઢાંકણ ન હોઈ બાળકોના જીવને પણ જોખમ છે. ગટરલાઇનનુ જોડાણ પણ થયું નથી. આ મામલે આંગણવાડીનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.