મુંબઇથી રાજકોટ જતી ટ્રેનમાંથી 14 લાખની ચાંદીની બેગ ગાયબ

84163568

copy image

copy image

મુંબઇ થી રાજકોટ તરફ જતી ટ્રેનમાં આંગડિયા પેઢીની 14 લાખની ચાંદીની ચોરીની ઘટના સામે આવી રહી છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર આ ટ્રેનમાં આંગડિયા પેઢીની 14 લાખની 21 કિલો ચાંદીની તસ્કરી કોઈ ચોર ઈશમ કરી પલાયન થઈ ગયેલ છે. મળેલ માહિતી મુજબ આ ટ્રેનમાં સૂર્યા આંગડિયા ફેડીના કર્મચારી રાજકોટ જઈ રહ્યા હતા. આ વચ્ચે વડોદરા પ્લેટફોર્મ 6 પરથી ટ્રેન પસાર થતી વેળાએ ચોર ઈશમો સીટ નીચે મુકેલ બેગ લઈને રફુચક્કર થઈ ગયા હતા. જાણવા મળી રહ્યું છે કે, આ મામલે કર્મચારીઓને વડોદરા પ્લેટફોર્મ 6 થી ટ્રેન ઉપડ્યા બાદ જાણ થઈ હતી.આ મામલે વડોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.