Kutch

વરસામેડી સ્થિત વેલસ્પન કંપનીમાં કામ કરનાર શખ્સનું  મોત

copy image વરસામેડી સ્થિત વેલસ્પન કંપનીના પ્લોટ નંબર 109, બેડશિટ પ્લાન્ટમાં  અપમૃત્યુનો બનાવ બન્યો હતો. અહીં કામ કરનાર શખ્સને અચાનક ચક્કર આવતાં પડી જતાં આ શખ્સને ઈજાઓ પહોંચી હતી અને બનાવ સ્થળે જ તેનું મોત થયું હતું. આથી કામદાર આ યુવાનને સારવાર માટે લઈ જતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. . આ બે બનાવ અંગે પોલીસે નોંધ કરી  બનાવ પાછળ નાં કારણો જાણવા આગળની તપાસ હાથ ધરી છે.

આદિપુરમાં એક વૃદ્ધાએ  એસિડ પી લેતાં મોત

copy image આદિપુરના ડીસી-પાંચ વિસ્તારમાં રહેનાર વૃદ્ધાએ   એસિડ પી લેતાં તેમનું મોત નીપજયું હતું  .  ગત તા.22/4ના તેઓ પોતાના ઘરે હતા,તે દરમ્યાન અગમ્ય કારણોસર એસિડ પી લેતાં તેમને વધુ સારવાર અર્થે ભુજની જિલ્લા સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ત્યાં સારવાર દરમિયાન  તા.29/4ના ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

ભચાઉના અમુક રહેણાંક વિસ્તારોમાં દેશી દારૂની ભઠ્ઠીઓ બંધ કરાવવા લોકની માંગ ઉઠી

ભચાઉ નગરનાં હિંમતપુરાના ખાડી વિસ્તાર, બટિયા વિસ્તારના મદીના નગર, જૂનાવાડા વગેરે વિસ્તારોમાં દેશી દારૂના પોઇન્ટ તથા અમુક જગ્યાએ ભઠ્ઠીઓ ધમધમી રહી છે. રહેણાંક વિસ્તારોમાં આવા દૂષણોનાં કારણે મહિલાઓ, યુવતીઓ ઘરમાંથી બહાર નીકળી શકતી નથી. અમુક જગ્યાએ સાંગુડીઓ પડયા-પાથર્યા રહેતા હોય છે. આવા તત્ત્વોનાં કારણે અહીં મહિલાઓમાં ભયનો માહોલ છવાયો છે. આ અંગે પોલીસને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી અને તંત્રએ ચેતવણી આપતાં એકાદ-બે દિવસ આવા હાટડા બંધ રહ્યા હતા, પરંતુ આ  ભઠ્ઠી થોભવાનું નામ નથી લેતી અને પોઇન્ટ તથા ભઠ્ઠીઓ પુન: શરૂ થઇ ગઇ હતી. અમુક જાગૃત યુવાનોએ જો આ  ભઠ્ઠીઓ  બંધ નહીં કરાય તો જનતા રેડની ધમકી આપી હતી અને રેડ દરમ્યાન સોશિયલ મીડિયા ઉપર જીવંત પ્રસારણ કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું. અહીં દેશી દારૂ ઢીંચીને અનેક લોકો બેહાલ  થયા છે. અગાઉ ભચાઉમાં જ લઠ્ઠાકાંડ સર્જાયો હતો ત્યારે પુન: આવો કાંડ સર્જાય તે પહેલા આવી તમામ  ભઠ્ઠીઓ  બંધ કરાવવા લોકો દ્વારા માંગ કરવામાં આવી .

પતિ-પત્નીના ઝઘડામાં પતિને મનદુ:ખ લગતા પતિએ  કર્યો આપઘાત

copy image પતિ-પત્નીના ઝઘડાને લઇ પત્ની ચાલી જતાં તેના મનદુ:ખમાં પતિ એવા મિરજાપરના  યુવાન એ આપઘાત  કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર મિરજાપરના અંબાજી મંદિર પાસે રહેતા શખ્સે આજે બપોરે તેના ઘરે પંખામાં બારીમાં બાંધવાના ઓછાડ વડે ગળેફાંસો ખાઇ લેતાં તેને સારવાર માટે તેના કાકા  ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ આવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. હોસ્પિટલની પોલીસ મથક માં નોંધાવેલી વિગતો મુજબ પતિ-પત્નીના ઝઘડના લીધે પત્ની ચાલી જતાં શખ્સ ને મનમાં લાગી આવતાં આ અંતિમ પગલું ભર્યું હતું. આ અંગે એ-ડિવિઝન પોલીસને જાણ કરાઇ છે.

ભીમાસરમાં રહેનાર એક શખ્સ સાથે રૂ.3,11,000 ની ઓનલાઇન ઠગાઇ  

copy image ભીમાસરમાં રહેનાર એક યુવાનને ભૂલથી તમારાં ખાતાંમાં મારા રૂા. 15 હજાર આવી ગયાનું કહી ઠગબાજોએ  રૂા. 40,000 બારોબાર કાઢી લઇ બાદમાં રૂા.2,71,000ની લોન લઇ પોતાનાં ખાતાંમાં નાખી લઇ યુવાન સાથે ઠગાઇ કરી હતી. ઓનલાઇન છેતરપિંડી કરનારાં તત્ત્વો લોકોને લૂંટવા અવનવા કીમિયા અપનાવતા હોય છે, ત્યારે  સહારા ગ્રામ ભીમાસરના યુવાનસાથે પણ આવો જ બનાવ બન્યો હતો. આ ફરિયાદીને ગત તા.2/3ના અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો અને હોસ્પિટલમાં પેસા ટ્રાન્સફર કરવાના હતા જે ભૂલથી તમારા ખાતાંમાં રૂા 15 હજાર આવી ગયાનું જણાવ્યું હતું. ફરિયાદીએ ના પાડતાં ઠગબાજએ  મેસેજ આવ્યાનું કહેતાં ફરિયાદીએ મેસેજ આવ્યોછે પણ મારા ખાતાંમાં  પૈસા આવ્યા નથી તેમ કહી ફોન કાપી નાખ્યો હતો. બાદમાં ફરીથી આ શખ્સે ફોન કરી ફોન કેમ કાપ્યો તેવી ધમકી આપી હતી અને ગૂગલ પે એપ્લિકેશનમાં બેલેન્સ તપાસવાનું કહેતાં આ યુવાને ગૂગલ પે ખોલતાં ચાર રિકવેસ્ટ આવી હતી, જેના પર ક્લિક કરતાં આ યુવાનનાં ખાતાંમાંથી રૂા. 40,000 બારોબાર કપાઇ ગયા હતા. બાદમાં ઠગબાજો બેન્કવાળા બનીને ક્યાંય જવાની જરૂરત નથી. તમારા પૈસા પરત આવી જવાની ધરપત આપી હતી. પોતાની સાથે ઠગાઇ થયાનું જણાતાં આ ફરિયાદીએ બેન્કમાં જઇને તપાસ કરી હતી, જ્યાં તેના નામે ઠગબાજોએ  ઓનલાઇન રૂા. 2,71,000 લોન  લઇ પોતાના ખાતામાં તે લોનના પૈસા લઇ લીધા હોવાનું બહાર આવ્યું હતું. આ યુવાન સાથે ઠગબાજોએ  રૂા. 3,11,000ની ઠગાઇ કરી હતી. પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની વધુ  તપાસ હાથ ધરી છે.

ભુજ તાલુકાના એક ગામમાંથી છોકરો ગુમ થતાં અપહરણની ફરિયાદ નોંધાઈ

ત્રણેક દિવસ પૂર્વે ભુજ તાલુકાના એક ગામમાંથી 14 વર્ષિય સગીર છોકરો ગુમ થતાં અપહરણની ફરિયાદ નોંધાઈ છે. આ અંગે પધ્ધર પોલીસ મથકે છોકરો ગુમ થતાં તેના પિતાએ ફરીયાદ નોંધાવી હતી કે, ગત તા.26/4ના સવારે છોકરો ઘરેથી નીકળ્યા બાદ  ઘરે પરત ન ફરતા  સગા-સંબંધિઓની પુછપરછ કરી હતી. બીજા દિવસે આજુ-બાજુના ગામો અને હાજીપીરના મેળામાં પણ તપાસ કરી, માઈકમાં છોકરા અંગે જાહેરાત કરી હતી. સગા સંબંધીઓના વોટ્સએપ ગ્રુપમાં પણ ફોટા સાથે ગુમ થયા અંગે પોસ્ટ વાયરલ કરી હોવા છતાં આજદીન સુધી ગુમ થયેલો સગીર દિકરો ન મળતાં કોઈ અજાણ વ્યક્તિએ લોભ-લાલચ આપી કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ગયાની શંકા હોઈ ફરીયાદ નોંધાવી છે. પોલીસે કલમ 363 મુજબ ગુનો દાખલ કરી આગળની  તપાસ હાથ ધરી છે. ઉજળાવાન વાળો પાતળા બાંધાના આ છોકરા એ બ્લેક ટી-શર્ટ-લેંઘો પહેર્યો હોવાનું ફરિયાદમાં લખાવાયું છે.

વરસામેડીમાં  રહેતો શરાબના  ધંધાર્થી  ને જેલના હવાલે

copy image મુળ પલાંસવા હાલે વરસામેડી  રહેતો શરાબનો ધંધાર્થી  ને જેલમાં ધકેલી દેવાયો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અન્વયે પશ્ચિમ કચ્છ એલસીબીના પીઆઈ એસ. એમ.  અને પીએસઆઈ એ જિલ્લામાં જાહેરમાં અસામાજીક પ્રવૃતિ ફેલાવતા ભારતીય બનાવટના વિદેશી દારૂનું ગેરકાયદેસર  વેંચાણ કરતા આરોપી વિરૂદ્ધ પદ્ધર પોલીસ મથકે 48 લાખના દારૂના જથ્થા સંબંધિત અને ગાંધીધામ બી-ડીવીઝનમાં 1.70 લાખના શરાબના જથ્થાના ગુનાઓ દાખલ થયા હોઈ તેના વિરૂદ્ધ પાસાની દરખાસ્ત તેયાર કરી જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટરને મોકલી અપાતા તે ગ્રાહ્ય રહેતાં ધરપકડ વોરંટની બજવણી કરી આરોપીને ભાવનગર જિલ્લા જેલમાં મોકલી દેવાયો છે.

ભચાઉના બઠટીયગા રોડ ઉપર અસામાજિક  તત્ત્વો દ્વારા  લોખંડની તસ્કરી

copy image ભચાઉ શહેરના નવા બસ સ્ટેશનથી બઠટીયગા રોડ ઉપર અસામાજિક તત્ત્વો દ્વારા લોખંડની ચોરીનું પ્રમાણ વધ્યું   હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. આ ચોરીના કારણે પડેલા ખાડાઓથી અકસ્માતની સંભાવના   સતાવી રહી છે. ભચાઉમાં પોલીસ મથકની સામે જ થતી ચીભડચોરી થતાં તસ્કરોને કાયદો વ્યવસ્થાની કોઈ ધાક જ ન હોવાની છાપ ઊભી થાય છે. ભચાઉ પોલીસ સ્ટેશન માર્ગ ઉપર પાણીના નિકાલ માટે છીપરો મૂકવામાં આવી છે. અસામાજિક તત્ત્વો લોખંડની ચોરી કરવાના હેતુ સાથે આ છીપરો કાઢી નાખતા હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. આ માર્ગ ઉપર રાહદારીઓને ચાલવા માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી, પરંતુ પાણીના નિકાલ માટે નાખવામાં આવેલી છીપર મૂકાઈ હતી, જે ફૂટપાથના વિકલ્પ તરીકે ઉપયોગમાં આવે છે. ચોરી માટે છીપર કાઢી નાખવામાં આવતાં રાત્રિના સમયે કોઈપણ વ્યક્તિ ચાલે, તો ખાડામાં પડી જવાની સંભાવના રહેલી છે. છ માર્ગીય રોડ ઉપર અનેક સ્થળે છીપર કાઢીને સળિયા કાઢી જવાયા હોવાના બનાવ બન્યા છે, ત્યારે પોલીસ મથક સામેથી જ થયેલી ચોરીના બનાવે અનેક સવાલ ઊભા કર્યા છે. આ મામલે જવાબદાર તંત્રો દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ લોકોમાં પ્રબળ બની છે.

મણિનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં દારૂ પીવા માટે પૈસા ન મળતાં પિતાએ પુત્રને છરી મારી

copy image સૂત્રો દ્વ્રારા મળતી માહિતી અનુસાર નોંધાવેલ ફરિયાદ અનુસાર  આદિપુરમાં ઓમ મંદિર પાછળ મણિનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં દારૂ પીવા માટે પૈસા ન મળતાં પિતાએ પુત્રને છરી મારી હતી. . ફરિયાદી યુવાનના પિતા  દારૂ પીવાની ટેવવાળા હોઈ વારંવાર દારૂનો નશો કરી ઘરે આવી બધા સાથે ઝઘડો કરી મારામારી કરતો હતો. ગત તા. 27/4ના આરોપી પોતાની પત્ની સાથે ઝઘડો કરી નીકળી ગયો હતો. બાદમાં બપોરે પરત આવી દારૂ પીવા પૈસા માગ્યા હતા. પૈસા ન હોવાથી તેમની પત્નીએ પૈસા આપવાની ના પાડતાં તેણે પોતાની પત્ની સાથે ઝઘડો, ઝપાઝપી કરી હતી ત્યારે ફરિયાદી યુવાન વચ્ચે આવી સમજાવવા જતાં ઉશ્કેરાયેલા તેના પિતાએ છરી કાઢી પોતાના દીકરાની પીઠમાં ભોંકી દીધી હતી. ઘવાયેલા યુવાનને લોઈલુહાણ હાલતમાં પ્રથમ આદિપુર, બાદમાં વધુ સારવાર અર્થે ભુજની જિલ્લા હોસ્પિટલમાં લઈ જવાયો હતો. પોલીસે આ શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.