Month: February 2021

ભાયાવદર નગરપાલિકા દ્વારા અનેકો કામોમાં ભરપૂર ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ ભાયાવદરના આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યો છે.

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાનું ભાયાવદર ગામ કે જે નગરપાલિકા સંચાલિત ગામ છે જેમાં સ્થાનિક રહેતા નીરજભાઈ મકવાણાએ આક્ષેપ કર્યો છે...

પોરબંદરમાં મીઠાપુરનો શખ્સ ૭ હજારના ગાંજા સાથે ઝડપાયો

ચોપાટી મેદાનમાં પોલીસે પ્રવીણ લખમણભાઈ સોલંકી રે. મીઠાપુરવાળાને ૭૭૧૦ની કિંમતનો ગાંજો ૧૨૮૫ ગ્રામ સાથે પકડીને ગુન્હો નોંધ્યો છે. જૂનાગઢ રેન્જના...

માળીયાના નવલખી પોર્ટમાં ટ્રક લોડીંગ મામલે માથાકૂટમાં આધેડની હત્યા

માળીયા મિયાણાના મોટા દહીંસરા ગામે આધેડને તેના જ ગામમાં તેના પાડોશમાં રેહતા બે શખ્સો સાથે નવલખી પોર્ટ પર કોલસાના ટ્રક...

વલસાડમાં લાખો રૂપિયા ભરેલું એટીએમ તોડવાનો પ્રયાસ

વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી એટીએમને નિશાન બનાવવાના બનાવો વધી રહ્યા છે . વલસાડ જિલ્લાના વાંકલમાં જાહેર રસ્તા પર આવેલા બેંક ઑફ બરોડાના એટીએમને તોડવાનો પ્રયાસ થયો હતો . રાત્રે બેંક ઑફ બરોડાનું એટીએમ રાખ્યું હતું તે દુકાનમાં તસ્કર દાખલ થયો હતો . મોઢે કપડું બાંધી તસ્કરે દુકાનમાં ઘૂસી સાધનો વડે એટીએમને તોડવાનો પ્રયાસ કર્યો હતો . જોકે , મશીન ન તૂટતા તે થોડીવારમાં એટીએમ કેબિનમાંથી બહાર નીકળી ગયો છે . આ દરમિયાન નાઈટ પેટ્રોલિંગમાં રહેલા પોલીસના જવાનોએ શંકાસ્પદ હાલતમાં જોવા મળેલા વ્યક્તિની પૂછપરછ કરી હતી . ત્યારબાદ શંકા જતા તેની અટકાયત કરી હતી . વ્યક્તિની આગવી ઢબે પૂછપરછ કરતા તેણે છ્સ્ તોડવાનો પ્રયાસ કર્યો હતો હોવાની કબૂલાત કરી હતી . આથી પોલીસે તેની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો હતો . પોલીસે તેની પાસેથી મશીન તોડવાના સાધન સહિત અન્ય મુદ્દામાલ કબજે કર્યો છે . આરોપીની ધરપકડ સાથે જ બેંક ઑફ બરોડાના એટીએમ માં બેંક દ્વારા લોડ કરવામાં આવેલા રોકડા રૂ પિયા ૫ લાખથી વધુની રકમ બચી ગઈ છે . વલસાડ પોલીસે આરોપીની ધરપકડ કરી તેના ગુનાહિત ભૂતકાળ અંગે પણ તપાસ હાથ ધરી છે . મહત્ત્વપૂર્ણ છે કે થોડા દિવસ અગાઉ વાપી સેલવાસ રોડ પર પણ એક ખાનગી બેંકના એટીએમને તોડવાનો પ્રયાસ થયો હતો . જોકે , એ વખતે પણ આરોપીઓ એટીએમ તોડવામાં નિષ્ફળ રહ્યા હતા . આથી બેક્નના એટીએમ માં લોડ કરવામાં આવેલા કરોડો રૂ પિયા બચી ગયા હતા . આ કેસમાં બે આરોપી પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા . આ દરમિયાન ચોંકાવનારી વાત એ પણ બહાર આવી છે કે બંને ઘટનાઓમાં બેક્નો દ્વારા લાખો અને કરોડો રૂ પિયા એટીએમમાં ભરેલા હોવા છતાં પણ એટીએમ ને રાત્રે સિક્યુરિટી ગાર્ડ વિના જ રેઢા મૂકી દેવામાં આવે છે . આ કારણે જ એટીએમ તોડવાના પ્રયાસો થઈ રહ્યા છે . પોલીસ વિભાગ દ્વારા એટીએમને રામ ભરોસે છોડી દેતી બેંકો સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે .

ચૂંટણી ટાણે બંદુક અને કારતુસ સાથે ડુંગરાથી એક ઝડપાયો,પોલીસ જવાનોની મહેનત રંગ લાવી

જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી ટાણે ડુંગરા પોલીસે હાથ ધરેલા ખાસ પેટ્રોલિંગ દરમિયાન તેમણે 12 બોરની બંદુક અને 3 જીવતા...

રાજ્યમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું : નવા 325 કેસ નોંધાયા : વધુ 272 દર્દીઓ સ્વસ્થ થયા : મહારાષ્ટ્ – મધ્યપ્રદેશ બોર્ડરે તમામ યાત્રિકોનું સ્ક્રીનિંગ કરાશે

રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે આજે રાજ્યમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું છે...

કચ્છમાં હેલ્થ કેર વર્કરનું ૯૭ ટકા અને ફ્રન્ટલાઇન વોરિયર્સનું ૮૭ ટકા રસીકરણ

કચ્છમાં કોવીશીલ્ડની ૧૧૫૩૨ હેલ્થકેર વકર્સનું ૯૭ ટકા અને ૧૮૨૬૭ ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સનું ૮૭ ટકા પ્રથમ ડોઝનું રસીકરણ થયેલ છે. તા.૧૫/૨/૨૧થી...

૧ થી ૧૯ વર્ષના બધાજ બાળકોને કૃમિ નિયંત્રણ ગોળી નિઃશુલ્ક અપાશે

કૃમિ મુકત બાળક તંદુરસ્ત બાળકના વિચાર સાથે રાજયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને કચ્છજિલ્લા પંચાયત આરોગ્ય પરિવાર કલ્યાણ શાખા...