જુનાગઢ તથા કેશોદમાં બંધ ઘરમાં તસ્કરી

જુનાગઢના મધુરમ તથા કેશોદના વેરાવળ રસ્તા પર બંધ ઘરના તાળાં તોડી રોકડ તથા દાગીનાની તસ્કરી થઈ છે. જુનાગઢના મધુરમ વિસ્તારમાંથી તો તસ્કરો ઓછાડ પણ તસ્કરી ગયા હતા. આ બાબતે વધુ વિગત અનુસાર જુનાગઢના મધુરમ વિસ્તારમાં આકાશગંગા સોસાયટીમાં રહેતા કાનદાસ રતનદાસ દાણીધારીના બંધ ઘરના તાળાં તોડી તસ્કરો રૂ. 3,000 રોકડા, તથા દાગીના તેમજ ઓછાડ મળી કુલ 18,600 ની મતા તસ્કરી ગયા હતા. આ બાબતે સી ડિવિઝનમાં ફરિયાદ થઈ છે. જ્યારે કેશોદના વેરાવળ રસ્તા પર રહેતા નિલેશ ધિરૂભાઈ પરમારના ઘરની ડેલી કુદી તસ્કરો તાળાં  તોડી ઘરમાં ધુસી રૂ. 11,500 રોકડા તથા દાગીના મળી કુલ રૂ. 34,300 ની મતા તસ્કરી નાસી છૂટયા હતા. જુનાગઢ જીલ્લામાં તસ્કરો બેફામ બન્યા છે. અને રોજ બ રોજ તસ્કરીના બનાવ બની રહ્યા છે. ત્યારે પોલીસ દ્રારા તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *