રાપર તાલુકાના લોદ્રાણીમાં રહેનાર પરિણીતાએ ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટુંકાવ્યૂ
copy image

રાપર તાલુકાના લોદ્રાણીમાં રહેનાર પરિણીતાએ ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટુંકાવ્યૂ હતું. લોદ્રાણી ગામમાં રહેનાર આ પરિણીતા ગઇકાલે બપોરના અરસામાં પોતાના ઘરે હતા, ત્યારે કોઇ અગમ્ય કારણોસર દુપટ્ટા વડે ગળેફાંસો ખાઇ પોતાના જીવનનો અંત આણ્યો હતો. તેમને હોસ્પિટલ લઇ જવાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. ત્રણ વર્ષનો લગ્નગાળો ધરાવનાર આ પરિણીતાએ કેવા કારણોસર છેલ્લું પગલું ભર્યું હશે ? પોલીસે તેની આગળની તપાસ હાથ ધરી છે.