લોદ્રાણીમાં એક પરિણીતાના આપઘાતની બાબતે સાસરિયા વિરુદ્ધ પોલીસ સ્ટેશન માં  ફરિયાદ નોંધાઇ

copy image

copy image

copy image

  લોદ્રાણીમાં એક પરિણીતાના આપઘાતની બાબતે સાસરિયા વિરુદ્ધ પોલીસ સ્ટેશન માં  ફરિયાદ નોંધાઇ હતી. પારકરા વાંઢ નાગપુર લોદ્રાણીમાં રહેનાર શખ્સે  પોતાની દીકરી ના  પતિ  તથા સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેમની દીકરીનાં લગ્ન બાદ સસરાની ચડામણીથી પતિ માર મારતાં ફરિયાદી પોતાની દીકરીને પરત લઇ આવ્યા હતા. બાદમાં સામાજિક રીતે  સમાધાન થતાં પરત મોકલાવી હતી.  ફરિયાદીના ઘરે  ભજન સત્સંગ હોવાથી પોતાની દીકરીના  ઘરે  આમંત્રણ આપવા ગયા હતા. ત્યારે આ પરિણીતાએ સસરાની ચડામણીથી પતિ મારકૂટ કરતા હોવાનું જણાવ્યુ હતું  ભજન સત્સંગના કાર્યક્રમમાં હાજરી આપી પરિણીતા પોતાના ઘરે ગયા બાદ  બપોરના આરસામાં  સાસરિયાંના ત્રાસથી કંટાળી આપઘાત  કરી પોતાનું જીવન ટુંકાવી લીધું હતું. પોલીસે પરિણાતાના પતિ અને સસરા વિરુદ્ધ જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરી  આગળની તપાસ હાથ ધરી છે.