ભુજમાં બેભાન અવસ્થામાં મળેલા આધેડનું મોત
copy image

ભુજના જેષ્ઠાનગરમાં બેભાન અવસ્થામાં મળી આવેલા આધેડનું મોત થયું હતું, સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કેમ્પ એરિયા વિસ્તારમાં જેષ્ઠાનગરમાં રહેતા હતભાગી આધેડ કોઈ કારણે બેભાન થયા હતા. જો કે, તેમને તાત્કાલિક ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાતાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ શખ્સ કઈ રીતે બેભાન થયો તથા તેનું મોત કેવી રીતે થયું તે સહિતની તપાસ પોલીસે હાથ ધરી હતી