ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા દબાણો દૂર કરાયા


ગાંધીધામ મહાનગરપાલિકા દવારા તા.૧૫/૦૯/૨૦૨૫ થી શરુ કરેલ ઝુંબેશના ભાગરૂપે સરદાર વલ્લભભાઇ પટેલ પ્રતિમા થી ચાવલા ચોક થઇ ભગવાન ક્લોથ સુધી આર્કેડના પેડેસ્ટેરીયન વે માં કરવામાં આવેલા દબાણો અને સાઉથ બજાર ની પાછળ આવેલ પાર્કિંગ ના દબાણો બાબતે માન.કમિશનરશ્રી, મનીષ ગુરવાની ની સુચના અને માર્ગદર્શન હેઠળ દબાણ હટાડવાની કામગીરી હાથ ધરવામાં આવી. આ ઝુંબેશમાં મહાનગરપાલિકાના ૫ જે.સી.બી., ૪ ટ્રેકટર, ૩૦ કર્મચારીઓ તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર મેહુલ દેસાઈની સતત હાજરીમાં આજરોજ કુલ-૯૨ દબાણો દુર કરવામાં આવેલ. આ ઝુંબેશમાં પોલીસ ઇન્સ્પેકટરશ્રી ચૌધરી, અને પી.એસ.આઇ.શ્રી ઝાલા દવારા કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સઘન બંદોબસ્ત રાખવામાં આવેલ, તથા તમામ વેપારીઓ તરફથી પણ આ ઝુંબેશને પુરતો સહયોગ આપવામાં આવેલ. તેમજ આવતી કાલે તા.૧૭/૦૯/૨૦૨૫ ના રોજ પણ આ ઝુંબેશ શરુ રહેશે.