વડાપ્રધાનશ્રી દ્વારા ૮મો પોષણ માહ અને સ્વસ્થ નારી, સશક્ત પરિવાર ”અભિયાનનો શુભારંભ

આજરોજ માનનીય વડાપ્રધાનશ્રીનાજન્મદિવસનીઉજવણીનાભાગ રૂપેઆજે”સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન” અને આઠમો “પોષણ માહ” નો શુભારંભ મધ્યપ્રદેશનાધાર ખાતેથી શુભારંભ કરવામાં આવ્યો છે. આ પહેલનો મુખ્ય હેતુ દેશની મહિલાઓ અને બાળકોમાં કુપોષણની સમસ્યાને દૂર કરીને તેમને સ્વસ્થ અને સશક્ત બનાવવાનો છે.

​                આ અભિયાન હેઠળ, આજરોજકચ્છજીલ્લાનાભુજતાલુકાનાઢોરી અનેઅંજારતાલુકાનાદુધઈ ખાતે માન.વડાપ્રધાનશ્રીનીવર્ચ્યુઅલઉપસ્થિતિમાંજિલ્લાકક્ષાના કાર્યક્રમ અંતર્ગતમહિલાઓનાઆરોગ્યતપાસણી માટેકેમ્પ,તથાઆઈસીડીએસયોજનાહેઠળ અપાતાTHR નાપેકેટ્સમાંથીબનતીવાનગીઓનુંનિદર્શન અનેપ્રદર્શનદ્વારાલાભાર્થીઓનેપેકેટનામહતમઉપયોગદ્વારાજાગૃતિફેલાવવામાંઆવી.તથાકચ્છજિલ્લાના૨૧૧૬ આંગણવાડીકેન્દ્રખાતેલાભાર્થીઓએવેબકાસ્ટ નિહાળીએકસુત્રતાથીજાગૃતિનોસંદેશગ્રહણકરીઆઅભિયાનનેવેગઆપ્યો.

આ વર્ષનો “પોષણ માહ” તા. ૧૭ સપ્ટેમ્બરથી ૧૬ ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન ઉજવવામાં આવશે. આ માસ દરમિયાન, સમાજમાં પોષણ અંગે જાગૃતિ લાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષની ઉજવણી નીચેની મુખ્ય પાંચ થીમ પર કેન્દ્રિત કરવામાંઆવેલી છે

  1. મેદસ્વીતાનો સામનો કરવા: ખાંડ અને તેલનો વપરાશ ઘટાડવા પર ભાર મૂકવામાં આવશે.
  2. પ્રારંભિક બાળપણ સંભાળ અને શિક્ષણ (ECCE): આ થીમ “પોષણ ભી પઢાઈ ભી” ના સિદ્ધાંત પર આધારિત છે.
  3. ​એક પેડ મા કે નામ: આ એક અનોખી પહેલ છે જે પર્યાવરણ અને માતાના સ્વાસ્થ્ય વચ્ચેનો સંબંધ દર્શાવે છે.
  4.  ​શિશુ અને નાના બાળકો માટે આહાર સંબંધિત પદ્ધતિઓ (IYCF): બાળકોને યોગ્ય અને પૌષ્ટિક આહાર આપવા અંગે માર્ગદર્શન.
  5. વોકલ ફોર લોકલ: સ્થાનિક અને પરંપરાગત ખોરાકને પ્રોત્સાહન આપીને પોષણ સુધારવા પર ભાર.

​                આ તમામ પ્રવૃત્તિઓ આઈસીડીએસવિભાગદ્વારાસમગ્રકચ્છજિલ્લાનાવિવિધ ગ્રામ પંચાયતો, શહેરી સ્થાનિક સંસ્થાઓ અને સરકારી વિભાગોના સહયોગથી હાથ ધરવામાં આવશે. આ પ્રયાસોનો ઉદ્દેશ્ય સામૂહિક ભાગીદારીને પ્રોત્સાહિત કરવાનો છે, જેથી વડાપ્રધાનશ્રીના”સુપોષિત ભારત”ના સ્વપ્નને સાકાર કરી શકાય.