૨ જી ઓક્ટોમ્બરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીની શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીનું આહ્વવાન

ભારત સરકાર દ્વારા ૨ જી ઓક્ટોમ્બરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીની શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીનું આહ્વવાન કરવામાં આવેલ છે. આ વર્ષ સ્વચ્છ ભારત મિશનના ૧૧ વર્ષની ઉજવણીના ભાગ રૂપે “સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” ને “સ્વચ્છોત્સવ” તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે. ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન દ્વારા તા.૧૭ સપ્ટેમ્બર ૨૦૨૫ થી ૩૧ ઓક્ટોમ્બર ૨૦૨૫ સુધી “સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” પખવાડિયાનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત વિવિધ કાર્યક્રમો જેમકે, સમાન્ય સફાઈ ની કામગીરી અંતર્ગત તમામ વાણીજ્ય વિસ્તાર, રહેણાંક વિસ્તારો અને સ્લમ વિસ્તારોની સફાઈ, બાગ-બગીચાઓ, ફૂટપાથ તેમજ થીમ આધારિત સફાઈ કામગીરીમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ હબ અને હાઇવે, ધાર્મિક અને પ્રવાસન સ્થળો નદી, તળાવો, સર્કલ, પ્રતિમાઓ, સરકારી કચેરીઓ, શહેર ના એન્ટ્રી પોઈન્ટ વિગેરેની સફાઈ ઝુંબેશ નું આયોજન કરવામાં આવેલ છે. તેમજ IEC પ્રવૃત્તિ અન્વયે “સ્વચ્છતા હી સેવા” ના લોગો સાથે સેલ્ફી પોઈન્ટ બનાવી સ્વચ્છતા જાગૃતિ કેળવી, સ્વચ્છતા રેલી, યોગ શિબિર, સ્વચ્છ વોર્ડ સ્પર્ધા, શાળા-કોલેજોમાં સ્વચ્છતા અંગે ક્વીઝ, રંગોળી, ચિત્ર, સુત્રો, નિબંધો, કવિતા, વોલ પેન્ટિંગ, સફાઈ મિત્ર સુરક્ષા શિબિર, વૃક્ષારોપણ, શેરી નાટક, વેસ્ટ ટુ આર્ટ ફેસ્ટ વિગેરે જેવી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવનાર છે.

જે અન્વયે આજ રોજ તા.૧૭ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ સવારે ૦૭.૦૦ કલાકે આદિપુર બસ સ્ટેન્ડ તેમજ આજુબાજુના વિસ્તારની સફાઈ કરી જેમાં માન. કમિશનરશ્રી મનીષ ગુરવાની, ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશન, માન. ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરી, માન. નાયબ કમિશનરશ્રી મેહુલ દેસાઈ, માન. નાયબ કમિશનરશ્રી સંજય રામાનુજ, સેનીટેશન વિભાગના કર્મચારીઓ, સફાઈ મિત્રો/સફાઈ કર્મચારીઓ તેમજ વિવિધ સંસ્થાના હોદ્દેદારો અને સભ્યો તેમજ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે જોડાઈઆ સ્વચ્છતા ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવેલ છે.