ભુજમાં 30 વર્ષીય યુવાનનો આપઘાત
copy image

ભુજના 30 વર્ષીય યુવાનએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજના એરપોર્ટ રોડ પર આશાપુરા નગરમાં રહેતા 30 વર્ષીય કિશોરભાઈ ચાવડા નામનો યુવાન પોતાના ઘરે હતો તે સમયે કોઈ અકળ કારણે ગળેફાંસો ખાઈ જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. બનાવ અંગે જાણ થતાં હતભાગીને તાત્કાલિક સરવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.